Damanganga Times.

Damanganga Times.

August 16, 2026

દીવમાં પ્રશાસકનો શિક્ષકો સાથે સંવાદ

દીવમાં પ્રશાસકનો શિક્ષકો સાથે સંવાદ


દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ હંમેશા કેન્દ્રશાસિત પ્રદેશમાં શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો કરવા માટે પ્રતિબદ્ધ રહ્ના છે. આ સંદર્ભમાં, આજે દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે પ્રશાસક પ્રફુલ્લ પટેલની ઉપસ્થિતિમાં, દીવની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સાથે ઍક સફળ શિક્ષકો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શિક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક સુધારણા અને સકારાત્મક પરિવર્તન તરફ ઍક નવીન અને મહત્વપૂર્ણ પહેલ હતી.