ચણોદમાં ઠાકોરજીને હિંડોળાનો શણગાર
- byDamanganga Times
- 14 August, 2026
ચણોદ કોલોની જય અંબે મહિલા મંડળ દ્વારા ૨૨ વર્ષથી ઠાકોરજીના હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં રોજેરોજ અલગ અલગ ચીજ વસ્તુઓ થી ઠાકોરજીના હિંડોળા શણગારે છે. આ વખતે ચલણી નોટો અને સિક્કા થી શણગારેલ હિંડોળા આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે. આ ઉત્સવ માં કાર્યકર્તા બહેનો મધુબેન, પારૂલબેન, વિજયાબેન વસંતબેન, વર્ષાબેન, રેખાબેન, અસ્મિતાબેન, રીનાબેન, સંગીતાબેન, કંચનબેન, મીનાબેન, તથા અનેક મહિલાઓ દ્વારા ખુબજ ઉત્સાહથી આ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે અને અનેક ભક્તોને ઠાકોરજી ના હિંડોળા ના દર્શન નો લ્હાવો લઈને પાવન થાય છે.
