વાપી રેલ્વે સ્ટેશને બેભાન અવસ્થામાં મળેલા બે ના સારવાર દરમ્યાન મોત
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી રેલવે પોલીસ સ્ટેશન દ્વારા બે બિનવારસી મૃતદેહ મળી આવ્યા છે જેની ઓળખ થઈ નથી. પ્રથમ બનાવમાં તા. ૦૮/૦૭/૨૦૨૫ના રોજ વાપી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.૧ પર બાંદ્રા-બિકાનેર ઍક્સપ્રેસ ટ્રેનના કોચ લ્/૫ માંથી ઍક અજાણી મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી. ઉ.વ. ૪૮ આશરાની આ મહિલાને ૧૦૮ મારફતે વલસાડ સિવિલ અને ત્યાંથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જ્યાં તા. ૦૮/૦૭/૨૦૨૫ના રોજ સાંજે ૪ઃ૩૦ વાગ્યે તેનું મોત થયું હતું. મહિલાના જમણા હાથ પર ૅથ્ ન્ંરુફૂનું ટેટુ છે અને ગુલાબી અને કથ્થઈ કલરની નાઇટી પહેરી છે. બીજા બનાવમાં તા. ૧૪/૦૭/૨૦૨૫ના રોજ ભીલાડ રેલવે સ્ટેશન નજીક કિ.મી. ૧૬૨/૧૦૧૪ પાસે ઉ.વ. ૪૦ થી ૪૫નો ઍક અજાણ્યો પુરુષ ઘાયલ હાલતમાં મળ્યો હતો. તેને પણ સુરત સિવિલ ખાતે સારવાર દરમિયાન તા. ૧૫/૦૭/૨૦૨૫ના રોજ મોત થયું હતું. તેણે આછા પીળા રંગનું શર્ટ અને કથ્થઈ પેન્ટ પહેર્યું હતું.
જો કોઈને આ બંને લાશ અંગે માહિતી હોય તો વાપી રેલવે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
