દમણના જગન્નાથ મંદિરમાં દેવ સ્નાન પૂર્ણિમાની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 02 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૧ ઃ સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા નિમિત્તે દુનેથાના નિકેતન પાર્ક બી-૯ સ્થિત શ્રી જગન્નાથ મંદિરમાં દેવ સ્નાન પૂર્ણિમા ઉત્સવ ભક્તિ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોઍ ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન ચક્રના દર્શન કર્યા અને તેમની પૂજા કરી. ભૂતપૂર્વ સાંસદ લાલુ પટેલ, સામાજિક કાર્યકર સુરેશ ઓડ અને ભૂતપૂર્વ ડીઍમસી કાઉન્સિલર ચંદ્રગિરી ટંડેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્ના હતાં.
સંગઠનના પ્રમુખ અંજલી નંદાના નેતૃત્વમાં સવારે ૬ વાગ્યે મંગળ આરતી સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ સૂર્ય પૂજા, પહંડી, હવન-પૂજા, મહાસ્નાન અને ગજાનન વેશની સાંજની વિધિ કરવામાં આવી. મહાસ્નાન દરમિયાન, ચારેય મૂર્તિઓનો કુલ ૧૦૮ પવિત્ર ઘડાના પાણીથી અભિષેક કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથને ૩૫ ઘડા, બલભદ્રને ૩૩, માતા સુભદ્રાને ૨૨ અને સુદર્શન ચક્રને ૧૮ ઘડાના પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથનો વાર્ષિક રથયાત્રા ઉત્સવ પણ દેવ સ્નાન પૂર્ણિમાથી શરૂ થયો હતો. તેમણે સમજાવ્યું કે દેવ સ્નાન પછી, ભગવાન અનસાર કાળમાં રહેશે. મંદિરના દરવાજા ૧૫ જુલાઈઍ ભક્તો માટે ખુલશે અને ૧૬ જુલાઈઍ સવારે ૧૧ઃ૩૦ વાગ્યે, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય રથયાત્રા દુનેથાના શ્રી જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર માટે પ્રસ્થાન કરશે. આ વર્ષે, ભૂતપૂર્વ ડીઍમસી કાઉન્સિલર ચંદ્રગિરી ટંડેલ રથયાત્રામાં ભગવાન જગન્નાથના પ્રથમ સેવક ગજપતિ રાજાની ભૂમિકા ભજવશે. ૨૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથની બહુડા યાત્રા કાઢવામાં આવશે.
