નાની વહિયાળમાં ‘ક્યારો’ સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૨૯ ઃ ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટ (વાપી), રેઇનબો વોરિયર્સ ધરમપુર અને ગ્રામ પંચાયત નાની વહિયાળના સંયુક્ત ઉપક્રમે નિર્મિત ક્યારો ધ સ્માર્ટ લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડ-ડાંગના સાંસદ તથા લોકસભા દંડક ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતા. વિશિષ્ટ અતિથિ તરીકે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, સરપંચ વિનોદભાઈ પઢેર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્ના હતા.
આ પ્રસંગે સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે રેઇનબો વોરિયર્સના સહયોગથી નિર્માણ પામેલી આ સ્માર્ટ લાઇબ્રેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને કારકિર્દી ઘડતરનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. તેમણે સંસ્થા અને ગ્રામ પંચાયતની સમગ્ર ટીમના સેવાભાવી પ્રયાસોની પ્રશંસા કરી હતી.ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ અકબંધ છે. પુસ્તકો વ્યક્તિની વિચારસરણીને સમૃદ્ધ બનાવે છે, નવી પ્રેરણા આપે છે અને જીવનમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. વિદ્યાર્થીઓઍ વાંચનની ટેવ વિકસાવીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ બનવું જોઈઍ.
રેઇનબો વોરિયર્સના હોદ્દેદારોઍ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૧૯ સ્માર્ટ લાઇબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ૧૧૦થી વધુ વિદ્યાર્થીઓ ક્લાસ-૧ અને ક્લાસ-૨ કક્ષાના અધિકારીઓ તરીકે સફળતા પ્રા કરી ચૂક્યા છે.
નવી શરૂ થયેલી ક્યારો ધ સ્માર્ટ લાઇબ્રેરી દ્વારા ગામના વિદ્યાર્થીઓ અને યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ, અભ્યાસનું ઉત્તમ વાતાવરણ અને ગુણવત્તાસભર સંદર્ભ પુસ્તકો ઉપલબ્ધ બનશે. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણને નવી દિશા આપતી આ પહેલને ઉપસ્થિત મહાનુભાવોઍ આવકારી હતી.
