વલસાડના કડૈયા સ્મશાન ભૂમિ પાસેનો નવીન પુલ કયારે કાર્યરત થશે?
- byDamanganga Times
- 12 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ તા.૧૪-૭-૨૬ ના આગામી ચોમાસા પહેલા કાર્યરત થનાર કડૈયા સ્મશાન ભૂમિ-વલસાડ પાસેના નવીન ઊંચા પુલમાં ૨૪ મીટરના દસ ગાળા તૈયાર કરવામાં આવશે છે, જેમાંનો પ્રથમ બનાવતા જ માળખું તૂટી જતાં ભારે વિવાદ સર્જાયો હતો. હાલમાં ઍક બનાવાયો છે, બીજાનું કામ ચાલુ છે- આઠ બાકી છે. તો શું ચોમાસા પહેલાં નવીનપુલ કાર્યરત થઈ જશે અને ચાલુ થશે તો પણ છીપવાડ અંડરપાસનો પાણી ભરાવો ઉપયોગ બંધ કરાવશે, ઍટલે ચોમાસામાં ઊંચા પુલનો કોઈ લાભ ૪૦ ગામની પ્રજા માટે ઉપયોગી બનશે નહીં.
