આંબાબારીમાં નવા રોડ અને કિલવણીમાં ચેકડેમની સફાઈ કામગીરી શરુ કરાઈ
- byDamanganga Times
- 11 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૦ ઃ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગ્રામ વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ અંતર્ગત તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મહાત્મા ગાંધી નરેગા (વીબીજી રામજી) યોજના હેઠળ બે મહત્વના વિકાસકાર્યોનો -ારંભ થયો. કૌંચા ગ્રામ પંચાયતના આંબાબારી ગામના થોરાટપાડામાં નવા માટી-મુરમ રોડના નિર્માણ કાર્ય તેમજ કિલવણી ગ્રામ પંચાયતના કિલવણી ગામના ચોકીપાડામાં ચેકડેમ સફાઈ (ડિસિલ્ટિંગ) કાર્યનું જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર દ્વારા વિધિવત ભૂમિપુજન કરવામાં આવ્યું.ઁ આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય, સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચ, પંચાયત સચિવ, નરેગા વિભાગના ટેકનિકલ સહાયક તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્ના. માટી-મુરમ રોડથી ગ્રામ્ય વિસ્તારોમાં આવાગમન સુગમ બનશે અને તમામ ઋતુમાં સલામત માર્ગ સુવિધા મળશે. ચેકડેમ સફાઈથી પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થશે અને ભૂગર્ભ જળસ્તરમાં સુધારો આવશે. આ કાર્યો દ્વારા સ્થાનિક ગ્રામ્ય મજૂરોને રોજગારની તકો મળશે. જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ વિકાસ, માર્ગ નિર્માણ અને જળ સંરક્ષણ સંબંધિત કામગીરીને પ્રાથમિકતા સાથે અમલમાં મૂકવામાં આવી રહી છે.
