અોમકચ્છ વાડી ફ.માં ૩૬મુ બ્રાહ્મણ કાચ કુળ પરિવારનું સ્નેહમિલન યોજાયું
- byDamanganga Times
- 10 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૦૯ ઃ ઓમકચ્છ વાડી ફળીયા ખાતે ૩૬ મુ બ્રાહ્મણ કાચ કુળ પરિવાર નું સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો
સ્નેહ મિલન ઍ સમાજમાં ઍકતા અને સંસ્કારોનું ચિંતન કરવાનું ઉત્કૃષ્ટ અભિગમ છે. સ્નેહ મિલન કાર્યક્રમ અંગે શ્રી બ્રાહ્મણ કાચ કુળ પરિવાર ના -મુખ ઉમેદભાઈ પટેલ અને ઉપ -મુખ ફુલજીભાઈ પટેલ તેમજ સમાજના અગ્રણીઓ સહીત ૧૭૦૦ જેટલાં લોકો હાજર રહ્ના હતા.-સ્તુત કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઝ઼શ્વ. સ્જ્ઞ્ૃ્યત્ત્ત્ર્ ર્ષ્ટીદ્દફૂશ્ર તરફથી ટ્રોફી આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જેથી કરીને આવનાર સમયમાં વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે વધુ મહેનત કરી પરિવાર અને સમાજનું નામ રોશન કરી શકે ઍ ઉદ્દેશ્યથી વિદ્યાર્થીઓને -ોત્સાહિત કરવામાં આવ્યા હતા.સાથે નાના બાળકો દ્વારા સ્વાગત ગીત, નૃત્ય, આદિવાસી નૃત્ય રજુ કર્યું હતુ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસર વાડી ફળીયા ખાતે યોજાયો હતો,
લલ્લુભાઇ જોગીભાઈ પટેલ તફથી ઉપસ્થિત રહેનાર સર્વે દેવદૂર્લભ કાર્યકર્તા મિત્રો, શુભેચ્છકોનો સ્નેહપૂર્વક આભાર વ્યક્ત કરી સાથે સમૂહ ભોજન લઈને છુટા પડ્યા હતા.
