Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

કેન્દ્રીય બજેટમાં દેશમાં ૨ મોટા ટેલિસ્કોપ સ્થાપિત કરવા જાગવાઈ

કેન્દ્રીય બજેટમાં દેશમાં ૨ મોટા ટેલિસ્કોપ સ્થાપિત કરવા જાગવાઈ


કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે  બજેટમા ભારતમાં ખગોળશાસ્ત્રના કેન્દ્ર તરીકે લદ્દાખની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવા, બે નવા મોટા ટેલિસ્કોપની સ્થાપના અને પ્રદેશમાં હાલના ઍકને અપગ્રેડ કરવાની જાહેરાત કરતાં નેશનલ લાર્જ સોલાર ટેલિસ્કોપ (ફન્લ્વ્) અને નેશનલ લાર્જ ઓપ્ટિકલ-ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ (ફન્બ્વ્)ની સ્થાપના માટે ભંડોળ પૂરું પાડવાનો અને હિમાલયન ચંદ્ર ટેલિસ્કોપને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. તેણે આંધ્રપ્રદેશમાં તાજેતરમાં મૈસુરુમાં બનેલા પ્લેનેટોરિયમ જેવું જ ઍક અત્યાધુનિક પ્લેનેટોરિયમ સ્થાપિત કરવાની યોજના પણ જાહેર કરી. બંને ટેલિસ્કોપ સુવિધાઓ લદ્દાખમાં બનવાની છે, જેમાં ચંદ્ર ટેલિસ્કોપ સહિત અનેક કાર્યરત આકાશ નિરીક્ષણ સુવિધાઓ પહેલાથી જ છે. નવા ટેલિસ્કોપનું સંચાલન બેંગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઍસ્ટ્રોફિઝિક્સ (ત્ત્ખ્) દ્વારા કરવામાં આવશે, જે લદ્દાખની હાનલે ખીણમાં ઇન્ડિયન ઍસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી ચલાવે છે જ્યાં વિવિધ પ્રકારના સંશોધનને સરળ બનાવવા માટે બહુવિધ ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવે છે.

ફન્બ્વ્ હાનલેમાં સ્થિત હોવાનું માનવામાં આવે છે, જ્યારે ફન્લ્વ્ લદ્દાખના મેરાક ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. ‘વિશ્વભરના જૂથો તરફથી વિનંતીઓની સંખ્યાને કારણે આંતરરાષ્ટ્રીય ટેલિસ્કોપ પર અવલોકન સમય મેળવવો અત્યંત પડકારજનક છે. આ મોટી ટેલિસ્કોપ સુવિધાઓ બનાવવાનો ભારતનો નિર્ણય ભારતીય સંશોધકો માટે મોટો ફાયદો થશે,’ નંદીઍ કહ્નાં.

ત્ત્ખ્ ના ડિરેક્ટર અન્નપૂર્ણી સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ખગોળશાસ્ત્ર સમુદાય બજેટની જાહેરાતથી ખુશ છે. આગામી ઍક દાયકામાં ફન્બ્વ્ બનવાની અપેક્ષા છે જ્યારે સૌર ટેલિસ્કોપ (ફન્લ્વ્) સ્થાપિત થવામાં લગભગ ૫ થી ૬ વર્ષ લાગશે. 

 ૨૦૨૩ માં, ભારતે તેની પ્રથમ અવકાશ-આધારિત સૌર વેધશાળા, આદિત્ય ન્૧ શરૂ કરી હતી. ‘જમીન પરથી કાર્યરત ફન્લ્વ્ અવકાશમાં આદિત્ય ન્૧ ને પૂરક બનાવશે,’ ફન્લ્વ્, જે મેરાકમાં પેંગોંગ ત્સો તળાવના કિનારે બાંધવાનો પ્રસ્તાવ છે, તે ઍશિયામાં સૌથી મોટા સૌર ટેલિસ્કોપમાંનું ઍક હશે.  ફન્બ્વ્ પ્રારંભિક બ્રહ્માંડ, તેની ઉત્પત્તિ, ગ્રહ પ્રણાલીઓના વિકાસ અને તેમની મોર્ફોલોજિકલ રચનાઓ, બાહ્ના ગ્રહો અને વધુના અભ્યાસને સક્ષમ બનાવશે.

બજેટમાં બીજા કોસ્મોલોજી ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ટ્રેનિંગ સેન્ટર (ઘ્બ્લ્પ્બ્લ્) પ્લેનેટોરિયમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે આંધ્રપ્રદેશના અમરાવતીમાં બનશે. તે આગામી પેઢીનું પ્લેનેટોરિયમ છે, જેનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં મૈસુરુમાં થવાનું છે અને ત્ત્ખ્ દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવી રહ્નાં છે. તે ખગોળશાસ્ત્ર શિક્ષણ, જાહેર ખગોળશાસ્ત્ર આઉટરીચ સંચારને પ્રોત્સાહન આપશે.