રાજયના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીનો નવસારી જીલ્લાના પ્રવાસે
- byDamanganga Times
- 24 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૨૩ ઃ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ ના રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ નવસારી જિલ્લાના પ્રવાસે આવી રહ્ના છે. તેઓના નિયત કાર્યક્રમ અનુસાર તા.૨૪/૦૧/૨૦૨૬ ના શનિવારના રોજ બપોરે ૦૧ઃ૦૦ વાગે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર ગામે ખાતે ઉભરાટ બ્રાંચ નહેર પરના કામનું તથા બપોરે ૦૩ઃ૦૦ વાગે ઍરુ ગામના સબ માઈનોર નહેરો પરના લાઈનીગ કામોનું નિરિક્ષણ મુલાકાત કરશે. મંત્રી કાર્યક્રમ પૂર્ણ થયે અનુકૂળતાઍ ભરૂચ જવા રવાના થશે.
