ઉમરગામમાં જીલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારી : આદિજાતિ મંત્રી ધ્વજવંદન કરશે
- byDamanganga Times
- 24 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ વલસાડ જિલ્લામાં ૭૭માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી તા. ૨૬/૦૧/૨૦૨૬ના રોજ સોમવારે સવારે ૯ કલાકે ઉમરગામ તાલુકામાં સર્કિટ હાઉસની પાસે આવેલા નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આન, બાન અને શાન સાથે થશે. દેશભક્તિના માહોલ વચ્ચે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરાશે.
રાષ્ટ્રધવ્જને સલામી અને રાષ્ટ્રગાન બાદ મંત્રીનું ઉદબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઈનામ/પ્રમાણપત્રનું વિતરણ, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં દરેક લોકોને સહભાગી થવા માટે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અનુરોધ કરાયો છે.
