Vishesh News »

દાનહની જનતાના ભરોસે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવારે પહેલું ફોર્મ ભર્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૧૫ ઃ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્ના છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા ફોર્મ ભરવા માટેની તારીખો જાહેર કર્યા બાદ દાનહ બેઠક માટે પ્રથમ ફોર્મ ભરાયું હતું. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિપક કુરાડાઍ દાનહ લોકસભા બેઠક માટે દાવેદારી કરી હતી. દિપક કુરાડા તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ચૂંટણી અધિકારીની ઓફીસમાં પહોંચીને નામાંકન પત્ર સુપ્રત કર્યું હતું. ફોર્મ ભર્યા બાદ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિપક કુરડાઍ જણાવ્યું હતું કે આ નામાંકન અમે દાનહની જનતાના ભરોસે ભર્યું છે. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવાર ઉપર આરોપ લગાવતા કહ્નાં હતું કે તેમણે દાનહની જનતા સાથે દગો કર્યો છે. આથી આ વખતે ભાજપના ઉમેદવાર સૌથી વધુ મતથી આ ચૂંટણી હારશે.