Vishesh News »

નંદાવલા હાઈવે પર કાર પલ્ટી મારી ઃ મુસ્લિમ પરિવારનો ચમત્કારીક બચાવ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ ઃ દમણ થી સુરત કારમાં જઈ રહેલો મુસ્લિમ પરિવારની કાર વલસાડના હાઇવે પર નંદાવલા હાઈવે પર આવેલ ખાડીના પુલ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડરની પાળી સાથે અથડાઈ પલટી મારતા કારમાં સવાર ૬ માસની બાળકી સહિત સમગ્ર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ૧૦૮ ની ટીમ દોડી જઈ ઇજાગ્રસ્તોને વલસાડની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઍક મુસ્લિમ પરિવાર દમણથી સુરત પોતાની મારૂતિ બ્રેઝા કાર નંબર ઞ્થ્-૦૫-ય્ષ્-૨૬૪૨ લઈ સુરત તરફ જઇ રહ્ના હતા. જે દરમિયાન વલસાડ નજીકના ગુંદલાવ હાઇવે ઓવરબ્રિજ નજીક આવેલ નંદાવલા ગામની ખાડીના પુલ પાસે કાર આવી પહોંચતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડરની પાળી સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી. અકસ્માતનો બનાવ બનતા રાહદારીઓ અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી જઈ કારમાંથી ૬ મહિનાના બાળક ચાલક સહિત પરિવારને બહાર કાઢ્યા હતા.વલસાડ ૧૦૮ ઍમ્બ્યુલન્સની ટીમને જાણ થતા ની સાથે જ ગણતરીના સમયમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી અને ઇજાગ્રસ્તોને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબે પરિવારના તમામ સભ્યો સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી.