Vishesh News »

વાજવડમાં હનુમાન દાદાની જ ચોરી!

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) નાનાપોîઢા, તા. ૧૪ ઃ કપરાડા તાલુકાના વાજપડ ગામ સ્થિત આવેલ બારી ફળિયા ખાતે હનુમાન મંદિરે હનુમાન દાદાની મૂર્તિની ચોરી થતા ભાવિક ભક્તોની લાગણી દુભાઇ હતી. પ્રા માહિતી મુજબ વાજવડ ગામ સ્થિત આવેલ બારી ફળિયા ખાતે હનુમાન મંદિરમાંથી સાંજના સમયે હનુમાન દાદાની મૂર્તિ ચોરી થતાં આજુબાજુના ભાવિક ભક્તોની લાગણી દુબાઇ હતી. આ અંગે વધુ માહિતી જાણવા મળી હતી કે કોઈક ભક્તને પ્રસન્ન થતાં તેમની સાથે અન્ય જોડી બનાવવાના કારણે આ મંદિરમાંથી હનુમાન દાદાની મૂર્તિની ઉઠાનતરી કરવામાં આવી હતી અને ઍક જોડ બનાવી ઍક જગ્યાઍ સ્થાપન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આજે આ મંદિરમાંથી હનુમાન દાદાની મૂર્તિ ચોરી થતા મંદિર ખાલી ખમ પડ્યું છે. અને આ મંદિરમાં વર્ષો પહેલા મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને આજે આ મંદિરમાંથી હનુમાન દાદાની મૂર્તિની ઉઠાંતરી થઈ છે.