Vishesh News »

પૂ. બાપુઍ ગફુરચાચાનું સન્માન કર્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૪ ઃ વાપીના ઉદ્યોગપતિ પ્રખર ગાંધીવાદી ખાદીધારી પદ્મશ્રી ગફુરભાઈ બીલાખીયાને શ્રોતા તરીકે નિહાળી બાપુઍ કહ્નાં હતું કે કુરાન પઢતા વાપીથી અમારા બહુ જુના સ્નેહી આવ્યા છે, ઍમણે કેટલી હજ પઢી છે યાત્રા કરી છે, ખાદીધારી માણસ, જ્યારે જ્યારે હજ પઢવા જાય, ત્યારે ત્યાંથી મને ફોન કર્યા વિના નહીં રહે, કહે કે, બાપુ હુ અહિયા હજ પઢવા આવ્યો છુ. નમાઝ પઢુ છુ, અને હું આપને યાદ કરું છુ. ભારત આવતા મારા માટે ખાસ ભેટ લાવે. આ મોહબ્બત છે. બહુ શીતળ સૌમ્ય સ્વભાવના ચાચાને વ્યાસપીઠ ઉપર બોલાવી આરતી કરાવવી હતી. જેમાં ગફુરચાચા ભદ્રાયુભાઈ સાથે આરતી પૂરી થાય ત્યાં સુધી ઉભા રહ્ના હતા. બાદમાં પૂજ્ય બાપુઍ તેમને શાલ આપી સન્માનિત કર્યા હતા.