(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૪ ઃ વલસાડના ધોબી તળાવમાં રહેતા મુસ્લિમ પ્રેમી સાથે મોગરાવાડીમાં રહેતી મુસ્લિમ પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ બાદ પરિવારજનો લગ્ન નક્કી કરાયા બાદ પ્રેમિકા અન્ય યુવક સાથે વાતચીત કરતા પ્રેમીને પસંદ ન હોવાના કારણે ગઈકાલે રાત્રે વલસાડના મોગરાવાડી રેલવે કોલોની સાઈબાબા મંદિર પાસે લઈ જઈ પ્રેમિકાને ઢીક-મુક્કીનો માર મારી પેટમાં ચપ્પુ ઘુસાવી દઈ ભાગી છૂટ્યો હતો. જો કે ઈજા ગ્રસ્ત પ્રેમિકાને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં વલસાડની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા વલસાડ સીટી પોલીસ મથકમાં મુસ્લિમ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સમાજમાં ચકચાર મચી જવા પામી છે. વલસાડ શહેરના મોગરાવાડી-અબ્રામા રોડ પર આવેલ રાજપુત ડેરીની ગલીમાં આરજુ ઈસ્માઈલ કાદર શેખ ઉ.વ. ૧૮ રહે છે. આરજુ વલસાડના ધોબીતળાવ ખાનદેશી મોહલ્લામાં રહેતા તૌસીફ ઉસ્માન પઠાણ સાથે છેલ્લા ત્રણ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ છે. આરજુ અને તૌફીકના પ્રેમ સંબંધ અંગે પરિવારજનોને જાણ થતા બંનેના લગ્ન કરવા માટે નક્કી કર્યું છે. બંને પ્રેમી પંખીડા ઈદ પર મુંબઈ ફરવા ગયા હતા. આરજુ વિસ્તારના અન્ય છોકરાઓ સાથે વાત કરતી હોય જે અંગે પ્રેમી તૌફીકને પસંદ ન હતું. ગઈકાલે રાત્રે ૧૦ઃ૦૦ કલાકે આરજુ ગલીમાં આંટો મારવા માટે નીકળી હતી. તે દરમિયાન તૌસિફ ઉસ્માન પઠાણ મળ્યો હતો. રાત્રીના ૧૧ઃ૧૫ વાગ્યે આરજુને રેલ્વે કોલોનીમાં સાઇબાબાના મંદીર પાછળ રેલ્વે લાઇન પાસે દીવાલ પાસે ખુલ્લી જગ્યામાં લઈ જઈ પ્રેમી તૌસીફે કહ્નાં કે બીજા છોકરાઓ સાથે કેમ બોલે છે. તેમ કહી ઝઘડો કરી બે ત્રણ ઝાપટ અને ઢીક મુક્કીનો માર માર્યો હતો. ઍકદમ ઉશ્કેરાઈ ઍક ખીસ્સામાં રાખેલ છરી કાઢી પ્રેમિકા આરજુ વિચારે તે પહેલા પેટમાં ઘા મારી દઈ ત્યાંથી ભાગી છુટ્યો હતો. અર્જુને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી જઈ ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જે અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં પ્રેમી તૌસીફ ઉસ્માન પઠાણ રહે. ધોબી તળાવ ખાનદેશી મોહલ્લો વલસાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ કરી છે.