Vishesh News »

વાપી ભીખીમાતા મંદિરમાં મહાયજ્ઞ યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૧ ઃ વાપી ટાંકી ફળિયા ભીખીમાતા મંદિર પરિસરમાં શ્રી સાંઈ સેવા મિત્ર મંડળ દ્વારા ગ્રામજનોનાં સહયોગથી સંવત ૨૦૮૦, ચૈત્ર સુદ પુનમની તા. ૨૩-૦૪-૨૦૨૪નાં રોજ મંગળવારે આચાર્ય પિયુષભાઈ જાશી સહિત ભૂદેવોનાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહાયજ્ઞ બપોરે ૧૨ કલાકે થી ૨ વાગ્યા સુધી ચાલશે તેમજ સાંજે ૭ઃ૩૦ થી ૧૦ઃ૦૦ વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે આયોજકો દ્વારા માતાજીનાં દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.