Vishesh News »

અમલસાડમાં રખડતાં કુતરાનો આતંક

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૧૧ ઃ અમલસાડ પંથકમાં રખડતા હડકવાયા કુતરાઍ ગુરુવાર બપોરે બે યુવાનો ને બચકાં ભરતાં ચકચાર મચી હતી. ગણદેવી તાલુકાના અમલસાડ ગામે ગુરૂવારે રખડતા કુતરા આક્રમક બન્યા હતા. અમલસાડ ના કાયા તળાવ ની વાડી વિસ્તાર માં શ્રમજીવી રોહિત ભરત હળપતિ (૧૮) તેમજ પશુપાલક રાજુ દેસુર ભરવાડ (૪૫) ઉપર રખડતા કૂતરાઍ ઍકાઍક હુમલો કરી બચકા ભરી લેતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે લઈ જવાયા હતા. દરમિયાન ગણદેવી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હડકવા ની રસી ના અભાવે પીડિતો ઍ નવસારી સિવિલ હોસ્પિટલ સુધી જવાની નોબત આવી હતી. ગણદેવી પંથક માં રખડતા કુતરા ની સંખ્યા માં વધારો થઈ રહ્ના છે ચિંતાજનક છે. પાલિકા, તેમજ ગ્રામ્ય વિસ્તારના રખડતા કૂતરા વસ્તી નિયંત્રણ માટે ખસીકરણ નું બજેટ કાગળ ઉપર જ હોવાનું કહેવાય છે.