Vishesh News »

સોનવાડામાં વંટોળથી પતરાં ઉડયાં

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૭ ઃ પારડી તાલુકાના સોનવાડા ગામમાં ભગત ફળિયામાં ઍક મકાનમાં અચાનક પવનનું વંટોળ આવતા મકાનના પતરા ઉડી ગયા હતા. ઘરના પાંચ જેટલા સદસ્યોનો બચાવ થયો હતો. ઘટના ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. જેમાં ઘરના વ્યક્તિ દિનેશભાઈ ઇશ્વરભાઇ પટેલ તેમજ ઘરના અન્ય સદસ્ય માતા ભાભી, બે નાના છોકરાનો બચાવ થયો હતો. ઘટનાની જાણ દિનેશભાઈ ઍ પારડી તાલુકા પંચાયતમાં કરી રિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી.