Vishesh News »

ધરમપુરમાં લોકસભાની ચૂંટણીની તૈયારી વચ્ચે ભાજપના બૂથ સંમેલનમાં વલસાડ જીલ્લાના ‘શ્રી કમલમ્’ માટે ઈ-ખાતમુર્હત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૭ ઃ આજરોજ વલસાડના ધરમપુર ખાતે બૂથ પ્રમુખ સંમેલન તેમજ વલસાડ જિલ્લાનુ નવનિર્મિત શ્રી કમલમ કાર્યાલયનુ ઇ- ખાતમુહૂર્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે યોજાયુ હતું. આ કાર્યક્રમમા જિલ્લાના પ્રમુખ હેમંતભાઇ કંસારાઍ સ્વાગત પ્રવચન કર્યુ હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, નરેન્દ્રભાઇઍ વડાપ્રધાન બન્યા પછી દેશભરમા દરેક જીલ્લામા પાર્ટી કાર્યાલય બને તે સંકલ્પ કર્યો હતો. ગુજરાતમા ઘણા જિલ્લાના કાર્યાલયનુ નિર્માણ થઇ ગયુ છે. વલસાડનુ કાર્યાલય ખૂબ સરસ બની રહ્ના છે. તેમણે બૂથ પ્રમુખોઍ ચૂંટણી પહેલા કેવી રીતે જન સંપર્ક કરવો તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.રાજયના મંત્રી કનુભાઇ દેસાઇઍ જણાવ્યું હતુ કે, સી.આર.પાટીલના નેતૃત્વમા દરેક ચૂંટણીમા ભાજપનો વિજય થયો છે લોકસભાના ઉમેદવાર ધવલભાઇ પટેલે પણ સંબોધન કરતા જણાવ્યું કે આ વખતે વલસાડ લોકસભા આપણે પાંચ લાખથી વઘુની લીડ સાથે જીતીશું તેવો મને સંપુર્ણ વિશ્વાસ છે. આ કાર્યક્રમમા રાજયના મંત્રી કનુભાઇ દેસાઇ, પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલ,વલસાડ જીલ્લા પ્રમુખ હેમંતભાઇ કંસારા, ડાંગ જિલ્લા પ્રમુખ કિશોરભાઇ ગાંવિત, સાંસદ કે.સી.પટેલ, લોસકભાના ઉમેદવાર ધવલભાઇ પટેલ સહિત ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઅો ઉપસ્થિત રહ્નાં હતાં.