Vishesh News »

રાજકોટથી રૂપાલાની ટીકીટ કાપવા વલસાડમાં આવેદન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ,તા.૦૪ઃ લોકસભા- ૨૦૨૪ ના રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ઍવા પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવા બાબત તેમજ ઍમની રાજકોટ સાંસદ તરીકેની ઉમેદવારી રદ કરવાની માંગણી સાથે વલસાડ જિલ્લા સમસ્ત ક્ષત્રિય અને રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે. વલસાડ જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે રાજકોટ લોકસભા-૨૦૨૪ની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઍક કાર્યક્રમ દરમ્યાન સમસ્ત રાજા રજવાડા વિષે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજના બહેન દિકરીઓ વિષે પ્રવચન કરેલ છે, જેનો વિડીયો સોશિયલ મીડવામાં વાયરલ ફરી રહ્ના છે. ઉપરોક્ત વિડિયોમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ દોહડાવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિષે અપમાનજનક ટીપ્પણી કરેલ છે. જેના લીધે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ ગયેલ છે. ગુજરાત અને સમસ્ત ભારતભરના સમસ્ત ક્ષત્રિય સમાજ ભાજપ તરફથી જ રહેતા હોય છે. રાજપૂત સમાજ હિંદુ અને કોઈપણ બહેન દીકરીઓની ઈજજત અને લાજ બચાવવા શહિદ થયાના હજારો ઉદાહરણ છે. ત્યારે રાજપુત સમાજની બહેન દીકરીઓ વિષે અભદ્ર ભાષા વાપરવી ઉચિત નથી. રાજપૂત સમાજની આટલી મોટી સંખ્યા હોવા છતાં લોકસભા ચૂંટણીમાં ઍક પણ સીટ રાજપૂત સમાજના કોઇ ઉમેદવારને ભાજપ દ્વારા ફાળવેલ નથી, તેમ છતા રાજપૂત સમાજ ભાજપ અને સાથી પક્ષોને વફાદાર રહ્ના છે. પરંતુ પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વાહિયાત ટીપ્પણી સમાજના રજવાડાઓ અને બહેન દીકરીઓ માટે કરવામાં આવી છે. શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ વલસાડ જીલ્લા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠકની લોકસભા-૨૦૨૪ના ઉમેદવાર તરીકેની તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેથી સમસ્ત શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ વલસાડ જીલ્લા સમાજની માંગણી છે. તેમ છતાં જો રાજપૂત સમાજની આ માંગણીની અવગણના કરી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે રાખવામાં આવશે તો સમગ્ર દેશમાં દરેક લોકસભા સીટ પર જયાં જયાં ક્ષત્રિય સમાજનું મતદાન થશે તે ભાજપ વિરુધ્ધમાં થશે તેવા પ્રયત્નો શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ વલસાડ જીલ્લા કરશે જેની ગંભીર નોંધ લેવા જણાવ્યું છે.