Vishesh News »

નવસારીમાં સુકન્યા સમૃદ્ધિ લાભાર્થી અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

નવસારી લોકસભા વિસ્તારમાં ૪૪૦૦૦ જેટલી કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૦૩ : નવસારી સાંસદ સીઆર પાટીલના પ્રમુખપણા હેઠળ લોકસભા વિસ્તારમાં ૪૪૦૦૦ જેટલી કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવી પ્રથમ હો ભરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને મંગળવારે નવસારી પ્રસંગ પાર્ટી પ્લોટમાં સુકન્યા સમૃદ્ધિ લાભાર્થી સ્નેહમિલન અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું.લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પ્રથમવાર નવસારી સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી. આર. પાટીલ નવસારી ખાતે પહોંચતા કાર્યકરોમાં આનંદ છવાઈ ગયો હતો. નવસારી લોકસભા વિસ્તારમાં ૪૪૦૦૦ જેટલી કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા હતા.મુનશી કોઈ ખાતે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા. પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં વકીલ,ડોકટર્સ, ચાર્ટડ ઍકાઉન્ટ,બિલ્ડર્સ સામાજિક સંસ્થાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ ઍ સૌને શાબ્દિક અને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. અને સાંસદ સીઆર પાટીલને દેશમાં સૌથી વધુ મતોથી જીતાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.