Vishesh News »

વલસાડ ટ્રેન અડફેટે ઇજા પામેલી યુવતીનું સારવાર બાદ મોત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા.૦૨ઃ વલસાડના રેલવે સ્ટેશનના મુંબઈ તરફના સાયકલ પુલ નજીક ઝ઼જ્ઘ્ઘ્ત્ લાઈન ઉપરથી પસાર થઈ રહેલી ૨૩ વર્ષીય યુવતીનો ટ્રેન અડફેટે આવતા તેનો પગ કપાઈ જતા રેલવે કર્મચારી પોલીસની ટીમ અને ૧૦૮ ની ટીમ દોડી જઈ યુવતીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. વલસાડના રેલવે સ્ટેશનના મુંબઈ તરફ જતા સાયકલ પુલ નજીક ડી.ઍફ.સી.સી.આઈ. લાઈન પર ઍક ૨૩ વર્ષીય યુવતી ટ્રેન અડફેટે આવતા તેને ગંભીર રીતે ઇજા વલસાડ જીઆરપી મહિલા પો. કો.સોનલબેન સાવીબેન અને પો. કો.જયેશભાઈઍ નજીકમાં કામ કરી રહેલા રેલવેના ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓ તથા ૧૦૮ ઍમ્બ્યુલન્સની ટીમને જાણ કરતા ૧૦૮ ના પાયલોટ કેતન આહિર અને ઇઍમટી ભાવેશ પટેલ ઘટના સ્થળે દોડી જઈ ટ્રેનમાં આવી ગયેલી છાયા પારસકર ઉંમર વર્ષ ૨૩ રહે. બીલીમોરાને ૧૦૮ માં વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર દાખલ કરવામાં આવી હતી. જ્યાં છાયાબેન બેનનો સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે વલસાડ રેલવે પોલીસ મથકના અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.