Vishesh News »

વલસાડમાં પશુપતીનાથ મહાદેવ મંદિરે શ્રીરામ કથા યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ : વલસાડ ના પ્રખ્યાત પશુપતીનાથ મહાદેવ મંદિર કમિટી ય્ભ્જ્ ગ્રાઉન્ડમાં વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ૯ ઍપ્રિલ થી ૧૭ ઍપ્રિલ સુધી ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર ચૈત્ર માસમાં આ કથાના આયોજન થી સમગ્ર વલસાડ પ્રદેશમાં આનંદની લાગણી પ્રસરી છે. આ રામ કથાનું શ્રીફળ મુહૂર્ત કથાકાર પ્રફુલભાઇ શુક્લ દ્વારા પુષ્પાબેન દેસાઈ, લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટ, આર. બી. ગોડ, ઉપાધ્યક્ષ મનોજભાઈ શર્મા, વિનોદભાઈ પ્રજાપતી, નગીનભાઈ ઓડ, માણેકભાઈ પાટીલ, સીતારામ યાદવ, હેમંતભાઈ મિસ્ત્રી, મણીબેન રાઠોડ, રાજુભાઈ દેસાઈને આપવામાં આવ્યું હતું. જયાનંદ મહારાજ (સેલવાસ) દ્વારા મંત્રોચાર કરવામાં આવ્યા હતા. આ કથામાં શિવ પાર્વતી વિવાહ, રામજન્મ, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત ચરિત્ર, રામેશ્વર પૂજા સહીત રામરાજ્યાભિષેક જેવા પ્રસંગો ધામધૂમ પૂર્વક ઉજવવા મા આવશે. નવ દિવસ સુધી ચલનારી આ રામકથા નો સમય બપોરે ૪ થી ૭ નો રાખવામાં આવ્યો છે. કથાકાર પ્રફુલભાઇ શુક્લ ઍ આ રામકથા હનુમાનજી સુપેરે પાર પાડે ઍવા આશીર્વાદ આપ્યા હતા. આયોજકો દ્વારા તમામ ભાવિક ભક્તો ને કથા શ્રવણ કરવા પધારવા ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું.