(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ : ભાનુશાલી સમાજનું ગૌરવ ભારત રત્નઅને ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને સમાજના યુવાનોઍ શ્રદ્ધાંજલિ આપી તેમના સ્મારકમાં બનાવેલ સ્ટીલ ગ્રીલનું લોકાર્પણ ભાનુ યુથ સર્કલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાનુશાલી જ્ઞાતિના ગૌરવ, ભારતરત્ન, સશસ્ત્ર ક્રાંતિનાં પ્રણેતા પ્રબળરાષ્ટ્રભકત ક્રાંતિગુરૂ ભાનુશાલી પંડિતશ્યામજી કૃષ્ણંવર્માને શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડના વડીલો, યુવાનો, મહિલાઓ તેમજ સમસ્ત કચ્છી ભાનુશાલી સમાજના સભ્યોઍ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે વલસાડ ભાનુશાલી જ્ઞાતીનું યુવાસર્કલ ભાનુયુથ સર્કલ વલસાડ ઘ્વારા બનાવવામાં આવેલ સ્ટીલની ગ્રીલનું લોકાર્પણ ભાનુયુથ સર્કલ વલસાડના અધ્યક્ષ રાજેશભાઈ વિશ્રામભાઈ ભાનુશાલી (રાજુડોલબી) દ્વારા આપવામાં આવ્યું હતું.