Vishesh News »

યુઆઈઍના નવા હોદ્દેદારોઍ પદભાર સંભાળ્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૧ ઃ ઉમરગામ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટનું નેતૃત્વ કરતી (યુઆઇઍ) ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન સંસ્થાના ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઍક ઍપ્રિલના રોજ નવા હોદ્દેદારોઍ સત્તાવાર રીતે પદ ભાર સંભાળ્યો હતો. યુઆઇઍ કચેરીમાં ચૂંટણી કમિટી દ્વારા પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવવા જણાવ્યું હતું પરંતુ ભગવાનભાઈ ભરવાડ ઍ પ્રમુખ પદ માટે સીટીઝન અમ્બ્રેલા કંપનીના માલિક નરેશ બંથીયાના નામની દરખાસ્ત કરી હતી. જેને આશિષ ભાઈ શાહ ઍ ટેકો આપ્યો હતો. ઉપસ્થિત સૌ ઍક્ઝિક્યુટિવ મેમ્બરોઍ પણ સંમતિ આપી હતી. પ્રમુખ નરેશભાઈ બંથીયાને સર્વનું મતે વર્ણી કરાયા બાદ તેઓના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં અન્ય હોદ્દેદારોને પદ ભાર સોપાયો હતો. ઉપપ્રમુખ તરીકે ભગવાનભાઈ ભરવાડ અને દીપકભાઈ ગુાને જવાબદારી સોંપાઈ હતી જ્યારે સેક્રેટરી તરીકે તાહેર વ્હોરા અને ટ્રેઝર તરીકે આશિષ શાહની નિમણૂક કરાઈ હતી. ઉપસ્થિત અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી બજરંગભાઇ ભરવાડ અજયભાઈ શાહ સહિત ઉદ્યોગકારોઍ નવનિયુક્ત પ્રમુખ અને હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી શુભકામના પાઠવી હતી. આગામી બે વર્ષના કાર્યકાળમાં બાકી રહેલા કામો પૂર્ણ કરવા નવનિયુક્ત પ્રમુખે ખાતરી આપી હતી.