(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૯ ઃ ઉમરગામ તાલુકાના વલવાડા ખાતે નિર્માણ થયેલા રોડ સામે સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્ના છે. આજરોજ બપોરના સમયે રોડનું કામ કરનાર અને સ્થાનિકો સામ સામે આવી જતા પરિસ્થિતિ ઘર્ષણમય બની જવા પામી હતી. પરંતુ સ્થાનિક પોલીસ તંત્ર સ્થળ ઉપર ઘસી આવી સ્થાનિકો અને રોડ બનાવનાર વ્યક્તિ વચ્ચેના તકરારને શાંત કરી હતી. રોડ બનાવનાર વ્યક્તિને કાયદાનું પાલન કરીને કામ કરવા સૂચના આપી હતી તેમજ સ્થાનિકોને કાયદાના પરિદમાં રહીને વિરોધ કરવા જણાવ્યું હતું. આ ઘટનામાં વલવાડા પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અધિકારીઍ ખેડૂત ખાતેદારોની માંગણીને આધારે સ્વ-ખર્ચે રસ્તો બનાવવા માટે ઠરાવ મંજૂર કરેલું હોવાનું જાણવા મળી રહ્નાં છે. હવે આ લડાઈ કેવો વળાંક લે છે ઍ જોવું રહ્નાં.