Vishesh News »

સિંગારટાટીમાં શિક્ષકના વિદાય પ્રકરણમાં ડીડીઓનો તપાસનો આદેશ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯ ઃ કપરાડા તાલુકાના શાહુડા કેન્દ્રમાં આવેલ સિંગારટાટી પ્રાથમિક શાળામાં વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સહયોગથી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની મૌખિક સંમતિથી શાળાના આચાર્ય દ્વારા આચારસંહિતા હોવા છતાં શિક્ષકનો નિવૃત્તિ વિદાય સમારંભ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઉજવણી કરી આચારસંહિતાનો ભંગ કરતા પહેલી ફરિયાદ આધારે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીઍ શિક્ષકો સામે તપાસના આદેશ આપતા જિલ્લાના શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શાહુડા કેન્દ્રમાં આવેલ સિંગારટાટી પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક રતિલાલભાઈનો વિદાય સમારંભ કાર્યક્રમ રાખવા માટે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સહયોગથી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની મૌખિક સંમતિથી શાળાના આચાર્ય દ્વારા તારીખ ૨૦/૦૩/૨૦૨૪ના દિને નિવૃત્ત વિદાય સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવેલ હતું.જેમા કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બીપીનભાઈ ટી.પટેલ, મુખ્ય શિક્ષક, આંબાપાડા પ્રાથમિક શાળા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યધ્યક્ષ જયેશભાઇ પાડવી, ઉપ શિક્ષક, ઓઝરડા પ્રાથમિક શાળા તખતસિંહ રામસિંહ ઠાકોર ઉપ શિક્ષક રોહીયાળ તલાટ પ્રાથમિક શાળાના શિક્ષકોઍ શિક્ષક વિદાય સન્માન સમારંભમાં આમંત્રણ આપી મતદારોના પ્રભાવિત કરવાના કાર્યમાં સામેલ શાહુડા કેન્દ્રના કેન્દ્ર શિક્ષક, કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યધ્યક્ષ, કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની તાત્કાલિક અસરથી આચારસંહિતાના ભંગ કરવા અંગે ઍક જાગૃત શિક્ષકે વલસાડ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી તેમજ વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા જિલ્લા વિકાસ અધિકારીઍ આચાર સંહિતાનો ભંગ કરનાર શિક્ષકો સામે તપાસના આદેશ આપતા જિલ્લાના શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.