Vishesh News »

પૂણેની ગેîગવોરમાં ઍકનું અપહરણ અને હત્યા કરી લાશ વાપી પાસે ફેîકી ગયા

યુપીઍલ નજીકની અવાવરુ ઝાડીમાં લાશ ફેîકી ડિઝલથી સળગાવી દીધીઃ માત્ર માથું અને પગના અવશેષો મળ્યા (દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વાપી,તા.૨૬ઃ વાપી હાઇવે સર્વિસ રોડની બાજુમાંથી પુના પોલીસે સ્થાનિક પોલીસની મદદથી અપહરણ બાદ હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીને સાથે રાખી યુવકના અર્ધ સળગેલા મૃતદેહના અવશેષો ઍકત્ર કર્યા હતાં. મરનાર યુવક પુણેના મહાલુંગે ઇંગલે વિસ્તારનો હતો. જેનું ૪ ઈસમોઍ અપહરણ કરી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકણ ઔદ્યોગિક વસાહત પીમ્પરી ચીંચવડના મહાલુંગે પ્ત્ઝ઼ઘ્ પોલીસ સ્ટેશન પુણે, મહારાષ્ટ્રના ઍક ૧૮ વર્ષીય યુવક આદિત્ય યુવરાજ ભાંગરેનું કેટલાક યુવાનો ૧૬મી માર્ચ ૨૦૨૪ના અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમ્યાન ઍક આરોપીની અટક કરી પૂછપરછ કરતા તેણે તેમના સાથીદારો સાથે મળી યુવકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. તેમજ હત્યા બાદ યુવકના મૃતદેહને ગુજરાતના વલસાડ જિલ્લાના ભિલાડથી વાપી વચ્ચે નેશનલ હાઇવે નજીક ઍક અવાવરું વિસ્તારમાં ફેંકી ડીઝલ છાંટી તેને સળગાવી દીધો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ કબૂલાત બાદ તે યુવક આદિત્ય ભાંગરે હોવાનું સામે આવતા મહાલુંગે પોલીસ મથકના ખ્ભ્ત્ કલ્યાણ ધાડગે સહિતની ઍક ટીમ હત્યારા આરોપી સાથે વાપી આવી હતી. અને વાપી જીઆઇડીસી પોલીસને સાથેરાખી આરોપીઍ બતાવેલ સ્થળે જઇ તપાસ કરતા અર્ધ બળેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વાપી ઞ્ત્ઝ઼ઘ્ પોલીસની મદદથી જ્લ્ન્ ની ટીમને બોલાવી મૃતદેહ અંગે જરૂરી તપાસ કરી તેના સેમ્પલ લીધા હતાં. તેમજ બળેલા મૃતદેહના અવશેષો ઍકત્ર કરવામાં આવ્યા હતાં. જે અવશેષો સાથે પોલીસ ટીમ પરત રવાના થઈ હતી. મૃતકની સોશ્યલ મિડીયામાં પોસ્ટથી નારાજગી હતી મહારાષ્ટ્ર પુણેના મહાલુંગે ઇંગલે ગામથી અપહરણ કરાયેલ આદિત્ય ભાંગરેનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે અપહરણ બાદ હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો હોવાની કેફિયત આપનાર આરોપીનું નામ અમર શિંદે છે. આ ઘટના પાછળ અંગત અદાવત કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવક આદિત્ય ઍક હત્યાના કેસમાં જેલમાં રહેલ તેમના આરોપી મિત્ર માટે સહાનુભૂતિ ધરાવતી પોસ્ટ સોશ્યલ મીડિયામાં મુકતો હતો. જેણે તેમના સાથીદારો સાથે મળી નવેમ્બર ૨૦૨૩માં મહાલુંગેના ઍક કોન્ટ્રાકટર રિતેશ પવારની જાહેરમાં હત્યા કરી હતી. જેના માટે આદિત્ય સોશ્યલ મીડિયામાં પોસ્ટ લખતો હોય મૃતક રિતેશ પવારના ભાઈને ખટકતા તેનું અપહરણ કર્યું હતું. જે બાદ કારમાં વાપી આવવા નીકળ્યા હતાં. જે દરમ્યાન અમર શિંદે ઍ તેનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહને વાપી નજીક યુપીઍલ હાઇવે બ્રિજ પાસે લાવી સળગાવી દીધો હતો. આ ઘટનામાં પોલીસે ઍક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હજુ પણ ૩ આરોપીઓ વોન્ટેડ હોય તેમને ઝડપવા વધુ તપાસ હાથ ધરી છે.