Vishesh News »

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિઍ રકતદાન કેમ્પ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૭ ઃ આજે વાપીમાં બંગાળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ ની૧૨૭ મી જન્મ જયંતિઍ ૧૨૭ બોટલ રકતદાનનાં લક્ષ્યાંક સાથે વીઆઇઍ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં અવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી ના ધારાસભ્ય કનુભાઈ દેસાઈનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી મંત્રી કનુભાઈ દેસાઈઍ તેમના ઉદબોધન માં જણાવેલ કે સમાજના તમામ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વગુરુ ભારત સંકલ્પને તેમજ વિકસિત ભારત અભિયાન ને સાકાર કરવાની દિશામાં અગ્રેસર ભૂમિકા ભજવે તે બાબતે ખાસ અપીલ કરી હતી. સાથે આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને તમામ સમાજ સક્રિય રીતે મતદાનમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી અને બંગાળી સમાજને ખૂબ અભિનંદન પણ આપ્યા હતાં. આ પ્રસંગે વાપી શહેર ભાજપના અને વીઆઈઍના પ્રમુખ સતીશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ આર્થિક સેલનાં સંયોજક મહેશ ભાઈ ભટ્ટ, વી.આઈઍ. ઍડવાઇઝ કમીટી મેમ્બર મિલન ભાઈ દેસાઈ, કલ્પેશભાઈ વોરા, નોટીફાઇડ બોર્ડનાં સભ્ય ચૈતન્ય ભાઈ ભટ્ટ, બંગાળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટનાં અગ્રણીઓ આશિષભાઈ રોય, અભિજીત ઘોષ, સુમેન્દુ ચક્રવર્તી, સુબીર ભટ્ટાચાર્ય શ્રીમતી શુક્લા ઘોષ, બંગાળી સમાજ મહિલા અગ્રણી વિગેરે દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનનું સફળ કાર્ય કર્યું હતું