Vishesh News »

નવસારી જિલ્લામાં આચાર સંહિતાનો અમલ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ગણદેવી, તા. ૧૭ ઃ ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થતાં જ બીલીમોરા, ગણદેવી અને નવસારી જિલ્લામાં આચાર સંહિતાના ચુસ્ત અમલવારી માટે તંત્ર દ્વારા જિલ્લાની તમામ ચાર વિધાનસભા વિસ્તારમાં પ્રથમ દિવસે હોડિંગ્સો, પોસ્ટરો તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. પબ્લિક અને ખાનગી સ્થળોઍથી ૪૩૬ વોલ પેઇન્ટિંગ, ૪૭૧ પોસ્ટરો, ૨૬૯ બેનરો તથા અન્ય ૩૬૬ મળી કુલ ૧૫૪૨ પ્રચાર સામગ્રી દુર કરવામાં આવી હતી. બીલીમોરા, ગણદેવી અને નવસારી જિલ્લામાં આદર્શ આચારસંહિતા સહિતા અમલીકરણ અંતર્ગત જલાલપોર માંથી ૩૨૦, નવસારી માંથી ૨૯૨, ગણદેવી માંથી ૩૬૩ અને વાંસદા માંથી ૫૬૭ જેટલા વોલ પેઇન્ટિંગ, પોસ્ટરો,બેનર સહિતની પ્રચાર સામગ્રી દુર કરાઈ હતી.