(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા.૧૬ ઃ બહુ ચર્ચિત સોળસુંબા ગ્રામ પંચાયત ભ્રષ્ટાચાર કેસમાં જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂતે ઉમરગામ પોલીસમાં સરપંચ ઉપસરપંચ અને તલાટી કમ મંત્રી વિરોધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ સરપંચ બલદેવભાઈ ઉપ સરપંચ અમિત પટેલ અને તલાટી કમ મંત્રી સુધીરભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. કેટલાક સમય પહેલા તલાટી કમ મંત્રી સુધીરભાઈ પોલીસ સમક્ષ હાજર થયા હતા ઉમરગામ પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતાં. રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને જેલ હવાલે કર્યા હતા. આજે મંગળવારે મોડી સાંજે સસ્પેન્ડેડ સરપંચ બલવંતભાઈ પણ પોલીસ સમક્ષ હાજર થયા હતા. બુધવાર દરરોજ તેઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે ઍવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્નાં છે.