(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૬, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીઍ ૨૨ જાન્યુઆરીઍ અયોધ્યામાં પ્રભુ શ્રીરામ ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પહેલા દરેક ગામમાં મંદિરો અને ધાર્મિક સ્થળોની સફાઈ માટે આહવાન કર્યું હતુ. ઉમરગામ તાલુકામાં સોળસુંબા અંબાજી મંદિર ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકર સરપંચ સંઘ પ્રમુખ નરેન્દ્રભાઈ નાયક તથા ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. ઉમરગામ શહેર વિસ્તારમાં બુધવારના રોજ કપિલેશ્વર તળાવ ખાતે નગરપાલિકા કોર્પોરેટરો તથા નગરજનો દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરાશે.