Vishesh News »

ઉમરસાડી માછીવાડમાં ચાર રસ્તાથી કલસર સુધીના દબાણો હટાવાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૪ ઃ પારડી કોસ્ટલ હાઇવે ઉમરસાડી માછીવાડ ગામમાં ચાર રસ્તાથી કલસરગામ સુધી માર્ગ પર કરેલ દબાણો વલસાડ માર્ગ ઍન્ડ મકાન વિભાગ દ્વારા આજરોજ જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા માર્ગ ઍન્ડ મકાન વિભાગ દ્વારા દબાણકર્તાઓને સ્વૈચ્છીક દબાણ દૂર કરવા જણાવ્યું હતું આજે જાતે તેઓ દબાણ દૂર કરવા લાગ્યા હતાં. આ કામગીરી દરમિયાન સ્થળ પર માર્ગ ઍન્ડ મકાન પારડી વિભાગના ઍસ.ઓ આર.ઍન. ધનાનીની ટીમ જેસીબી લઈને પહોંચી ગયા હતા અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી માછીવાડ કોસ્ટલ ચાર રસ્તા પાસે લોકો ઍ સ્વૈચ્છીક લારીગલ્લા મરઘી શોપ કેબીન વગેરે દૂર કર્યા હતાં.