Vishesh News »

તિઘરામાં બાલ મંદિરના ઉદ્દઘાટન પહેલાં જ કોઈકે દિવાલ ધરાશાયી કરી દીધી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૧૪ ઃ દાદરા પાસેના તીઘરાગામે નવનિર્મિત બાલ મંદિરનું ઉદ્ઘાટન થવાનું હતું પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા પેન્સિલ આકારની દિવાલ તોડીને નુકસાન કયુ* હતું. આ બાલમંદિરની આસપાસ રહેતા લોકો સાથે આ મુદ્દે વાતચીત કરતા આ દિવાલ કોણે તોડી છે તે જણાવવા કોઈ તૈયાર નહોતું. માહિતી પ્રમાણે અહીં રાત્રીના સમયથી કોઈ અસામાજિક તત્વો દારૂની મહેફિલ પણ માણતા હોવાનું જાણવા મળે છે. બાલમંદિરને થયેલ નુકસાન અને આવા અસામાજિક તત્વો વિરૂદ્ધ વહીવટીતંત્ર કડક કાર્યવાહી કરે ઍ જરૂરી બન્યું છે.