Vishesh News »

દુલસાડમાં પરણીતાઍ ફાંસો ખાધો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૪ ઃ વલસાડમાં દુલસાડગામે કેવડા ફળિયામાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતા આજરોજ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે સિમેન્ટના પતરાના ઍંગલ સાથે ઈલેક્ટ્રીક વાયર બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. વલસાડ તાલુકા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી આત્મહત્યાના બનાવો બની રહ્ના છે. ત્યારે આજરોજ વલસાડ તાલુકાના દુલસાડગામે કેવડા ફળિયામાં સેજલબેન મનુભાઈ પટેલ ઉ.વ. ૨૮ રહે છે. સેજલબેન આજરોજ ઘરે ઍકલા હોય તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર સિમેન્ટના પતરાની ઍન્ગલ સાથે ઈલેક્ટ્રીક વાયર બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની સવારે જાણ થતા આજુબાજુના લોકો ઍના ઘરે દોડી જઈ દાતરડા વડે ઈલેક્ટ્રીક વાયર કાપી સેજલ બેનને નીચે ઉતારી તપાસ કરતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમ દોડી જઈ લાશનો કબજો મેળવી વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીઍમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.