Vishesh News »

સોમનાથ ગ્રામપંચાયતમાં પીઍમ સૂર્યઘર યોજના અંગે બેઠક યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૧૩ : સોમનાથ ગ્રામ પંચાયતમાં પીઍમ મોદીની મફત વીજળી યોજના પીઍમ સૂર્ય ઘર વિશે ગ્રામજનોને માહિતગાર કરવા માટે બેઠક યોજાઈ હતી. સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચ ચૈતાલી કામલીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટોરેન્ટ પાવરના અધિકારીઓઍ ગ્રામજનોને પીઍમ સૂર્ય ઘર યોજના વિશે વિગતવાર જણાવ્યું હતું. આ દરમિયાન ટોરેન્ટ પાવરના અધિકારીઓઍ ગ્રામજનોને પીઍમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા આહવાન કર્યું હતું અને સોલાર પેનલ પર સબસિડી સહિતની અન્ય માહિતી આપી હતી. તે પણ સમજાવવામાં આવ્યું હતું કે પીઍમ સૂર્ય ઘર યોજના દ્વારા ૩૦૦ યુનિટ સુધી મફત વીજળીનો લાભ કેવી રીતે મેળવી શકાય છે.