Vishesh News »

ઉમરગામ તાલુકાના બે દિગ્ગજ કોîગ્રેસીઅો ભાજપમાં જોડાય તેવી અટકળો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૨ ઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈની સંભવિત ઉપસ્થિતિમાં ભીલાડ ખાતે ભાજપમાં જોડાઈ ઍવી સંભાવના કોંગ્રેસ ઍસટી સેલના પ્રદેશ ઉપપ્રમુખ નરેશ વળવીઍ રાજીનામું આપ્યું, ભિલાડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. સાથે ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા પૂર્વ યુઆઈઍ પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ સમર્થકો સાથે કેસરિયો ધારણ કરે ઍવી રાજકીય વર્તુળોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે. નરેશ વળવી અને તેના કોંગ્રેસમાં સક્રિય ગ્રૂપ સાથે બેઠક કરી ગ્રુપના તમામ કોંગ્રેસના અગ્રણીઓઍ કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપ્યું છે. સાથે આગામી દિવસોમાં ભિલાડ ખાતે યોજાનારા કાર્યક્રમ માં નરેશભાઈ તેમના સમર્થકો સાથે ગ્થ્ભ્માં જોડાશે ઍવી પ્રબળ સંભાવના છે.