Vishesh News »

બીલીમોરાના સોમનાથ મંદિરે સર્વરોગ નિદાન કેમ્પમાં ૧૩૫ દર્દીઓઍ લાભ લીધો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)) બીલીમોરા, તા.૧૨ : ગણદેવી દમણીયા હોસ્પિટલ ઍ બીલીમોરા સોમનાથ મંદિર ટ્રસ્ટનાં સથવારે શુક્રવારે મહાશિવરાત્રી પર્વે સર્વરોગ નિદાન આ કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૩૫ જરૂરીયાતમંદ દર્દીઓ ઍ લાભ લીધો હતો. આ કેમ્પમાં શારીરિક રોગ મોઢાના કેન્સર, દાંત, આંખ તેમજ ફીઝીયોથેરાપીસ્ટ તબીબો ઍ સેવા પ્રદાન કરી હતી. આ કેમ્પમાં વિનામૂલ્યે દવા, ઈ.સી.જી. કાર્ડીઓગ્રામ, સુગરની તપાસ કરવામાં આવી હતી. દમણીયા હોસ્પિટલના ટ્રસ્ટી અરવિંદભાઈ કાપડિયા, મેનેજર ઇમેશ ગાંધી, શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શિવજીભાઈ પટેલ, સુરેશભાઈ તલાવીયા અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્નાં હતાં. ગણદેવી દમણીયા હોસ્પિટલ ખાતે જરૂરીયાતમંદ મોતિયા દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.