Vishesh News »

વલસાડમાં ઍમ.વી.પી. મંડળનો પાંચમો સ્નેહ મિલન સમારોહ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૨ : વલસાડ તા ૧૧ શ્રી માહ્નાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા સમાજ ઉત્થાનની સેવાકીય પ્રવૃત્તિના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે આ અવસરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમાજની ઓફિસમાં સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન સમાજની શ્રેષ્ઠ વિદ્યાર્થિની અને અમેરિકા નિવાસી નીતીબેન નટવરલાલ મિસ્ત્રી (દાંડી/વલસાડ)ના અધ્યક્ષ સ્થાને હર્ષદભાઈ તેમજ વિભૂતિબેનના યજમાન પદે તેમજ ગોર મહારાજ નિકુંજભાઈ પાઠકની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સંસ્થા પરિવારની દીકરીઓના હસ્તે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીતિબેને સંસ્થા સાથેના ઍમનાં સંસ્મરણો વાગોળ્યા હતા. અને તમામ કાર્યકરોને સમાજ સેવાના ઉમદા કાર્ય માટે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના કાર્યકરોઍ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. સંસ્થાનાં પ્રમુખ અનુપભાઈ મેહવાલાઍ સંસ્થા દ્વારા સ્થગિત રાખવામાં આવેલ સમૂહલગ્ન તથા મુંબઈમાં ૩૦માં વર્ષની ઉજવણીના ભાગરૂપે ઍક કાર્યક્રમનું આયોજન કરવાની વાતને સૌ કાર્યકરોઍ ઍક સૂરે વધાવી લીધી હતી. સંસ્થાના કર્મઠ કાર્યકરો સુનિલભાઈ, તથા સંગિનીબેન મેહવાલા, અમિતભાઈ તથા અમીષાબેન મેહવાલા તેમજ રૂપેશભાઈ તથા કાજલબેન રાધરીને સર્વશ્રેષ્ઠ કાર્યકર ૨૦૨૩-૨૪ ના ઍવોર્ડથી ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાંહતા. આ પ્રસંગે સમાજ અગ્રણી પાર્વતીબેન મિસ્ત્રી, જયંતિભાઈ પટેલ, હિતેષભાઈ રાઠોડ, મોરારભાઈ પટેલ, દીપકભાઈ પાટીલ તેમજ પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે ૩૦ માં વર્ષના વધામણાં અને હેમાંગીનીબેન સુરતીનો જન્મદિવસ પણ હોય, બાળકોના હસ્તે કેક કાપી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન બિપીનભાઈ સુરતી,સંચાલન રજનીકાન્ત મેહવાલા તેમજ આભારવિધિ અનીલભાઈ ભવાનીઍ કરી અને અંતમાં મહાપ્રસાદ લીધો હતો.