Vishesh News »

સલવાસ સ્વામીનારાયણ ગુરુકુલમાં બોર્ડના વિદ્યાર્થીની પરીક્ષા માટે યજ્ઞ કરાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૧ ઃ ગુજરાત સ્ટેટ બોર્ડ દ્વારા સોમવારથી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થતા દરેક વિદ્યાર્થીઓ ને પરીક્ષા સારી રીતે પૂર્ણ થાય તે માટે તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ માં યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલના ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી ના આચાર્ય તથા શિક્ષકો બેઠા હતા અને બ્રાહ્મણોના શસ્ત્ર મંત્ર બેઠા હતા અને બ્રાહ્મણોના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં સમીધ પુર્યા હતા.આ યજ્ઞમાં બોર્ડના તમામ વિદ્યાર્થીઓ ની માટે શુભકામના નો સંકલ્પ ભૂદેવ હિરેન મહારાજે લેવડાવ્યો હતો.