Vishesh News »

વલસાડ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રા યોજાઇ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૦ : મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વલસાડના તિથલ રોડ ખાતે આવેલ જુના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં પણ શિવરાત્રીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દિવસ તેમજ રાત્રિ દરમિયાન શિવ આરાધના કરવામાં આવી હતી, ડીજે તેમજ નાશિક ઢોલના સથવારે ભગવાન શિવની રંગે ચંગે પાલખીયાત્રા કાઢવામાં આવી હતી, આ પાલખીયાત્રામાં વિશેષ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ભાગડાવાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશ પટેલ, નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ પટેલ સહીત વલસાડ જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા , વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ડીજે તેમજ નાસિક ઢોલના સથવારે ઝૂમ્યા હતા અને શિવમય બન્યા હતા આ શોભાયાત્રામાં શિવ ભક્તોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો, શ્રી બજરંગ યુવક મંડળના પ્રમુખ દર્શન ઋષિ તેમજ કાર્યકર્તા દ્વારા મંદિરને ડિજિટલ પ્રકારની લાઈટો દ્વારા શણગારવામાં આવી હતી સાથો સાથ મહાદેવના દર્શન વલસાડ વાસી કરી શકે તે હેતુ થી વલસાડના તિથલ રોડ ચાર રસ્તા ખાતે લાઈવ પ્રસારણ પણ દર્શાવવામાં આવ્યું હતું અને દર્શનનો લાભ સૌ કોઈ વલસાડ વાસી ઍ લીધો હતો. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને આવનાર તમામ ભક્તો ભગવાન શિવના દર્શન તેમજ આરાધના કરી શકે તે માટે શ્રી બજરંગ મંડળ તેમજ જય માતાજી મહિલા મંડળ તેમજ સિધેશ્વર સેવા સમિતિ દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી.