Vishesh News »

આજે મહાશિવરાત્રિના મેળા માટે વધારાની બસો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૭ ઃ આજે તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી માટે વલસાડ ઍસટી વિભાગના ડેપો નજીક આવેલા ગામોના મંદિરમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. જે માટે વિભાગના જુદા જુદા ડેપોથી ઍકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. વલસાડ ડેપો દ્વારા ખેરગામ ચોકડી થી ભૈરવી/નાંધઈ મંદિર અને વલસાડ થી ઘડોઈ, ધરમપુર ડેપો દ્વારા ધરમપુર થી ભૈરવી/નાંધઈ મંદિર, બીલીમોરા ડેપો દ્વારા ચીખલીથી ભૈરવી/નાંધઈ મંદિર અને બીલીમોરા થી કછોલી તેમજ નવસારી ડેપો દ્વારા નવસારી થી કછોલીના મેળા માટે બસો દોડાવાશે. ઉપરોક્ત તમામ ઍકસ્ટ્રા બસો મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ૦૬.૦૦ કલાક થી સાંજે ૧૯.૦૦ કલાક સુધી સંચાલન કરવામાં આવશે, જેનો તમામ ભાવિકભક્તોને લાભ લેવા ઍસટીના વિભાગીય નિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.