Vishesh News »

ગણદેવીમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને નવજીવન મળ્યું

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) બીલીમોરા તા.૧૫ ઃ ગણદેવી તાલુકામાં ઉતરાયણ પર્વે પતંગની કાતિલ દોરીમાં ઘાયલ ૮ જેટલા નિર્દોષ પક્ષીઓને નવજીવન મળ્યું હતું. પક્ષીઓ ઉડતા રહે ઍ જ આપણી સાચી મકરસંક્રાંતિની ભાવના સાથે કરુણા અભિયાન શરૂ કરાયું હતું. નિર્દોષ પક્ષીઓ ને સારા માં સારી સારવાર મળે તે માટે તંત્રઍ તડામાર તૈયારીઓ કરી હતી. સામાજિક વનીકરણ વિભાગ નવસારી રેન્જ ગણદેવી કરુણા અભિયાન વેળા ગણદેવી, બીલીમોરા થી ૧૦ કબૂતર અને ૧ ઘુવડ પતંગ ના દોરા માં ઘાયલ મળી આવ્યા હતા. જેને વનવિભાગ સ્ટાફ તેમજ વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારી હિમલ મહેતા ની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા. ડો.દીપ પટેલ, સિદ્ધ પટેલ, ભાવેશ રાઠોડ, ભાવેશ પટેલ, કેતુલ બારોટ, દેવાંગ પટેલ તેમજ વન વિભાગનાં છાયા પટેલ, અંકિતા પટેલ સહિત અધિકારીઓ અને જીવદયા પ્રેમીઓઍ ભારે જહેમત ઉઠાવી હતી.