Vishesh News »

ચણવઈ રોડ પર ચોરટાઅોઍ મંદિર સહિત ૪ દુકાનોના તાળા તોડયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૬ ઃ અતુલ નજીકના પારનેરા ચણવાઈ રોડ ઉપર આવેલ સાઈબાબા મંદિરમાં કોઈ ચોર ઇસમે મંદિરમાં ચોરી, મયુરી ઇન્ડેન ગેસ ઍજન્સી, જલબ્યુટી પાર્લર તેમજ સાંઈબાબા મંદિરના નકુચાના તાળા તોડી સીસીટીવી કેમેરાથી બચવા માટે ચોરટાઅોઍે વાયર કાપી નાખ્યા તો ગેસ ઍજન્સીના અંદરના ભાગે રાખેલા સીસીટીવી કેમેરામાં ચોરટાઓ કેદ થઈ ગયા હતા. અતુલ નજીકના પારનેરા ચણવઈ રોડ પર સાઈબાબાનુ મંદિર આવેલું છે. સાઈબાબા મંદિરની બાજુની ઇન્ડિયન ગેસ ઍજન્સી, જલ ક્લિનિક, બ્યુટી પાર્લર આવેલી છે. ગઈકાલે રાત્રે કોઈ ચોર ઇસમે મંદિરની દાનપેટી ચોરી કરવા અગાઉ મંદિર બહાર લાગેલા સીસીટીવી કેમેરા કનેક્શન કાપી નાખ્યા હતા. અને બહાર દાન પેટી ઊંચકી લઈ ગયા હતા. જે બાદ આ ચોરટાઓ બાજુમાં આવેલા મયુરી ઇન્ડન ગેસ ઍજન્સી, જલ ક્લિનિક, બ્યુટી પાર્લર ને તસ્કરોઍ નિશાન બનાવી તાળા તોડી નાખ્યા હતા. જોકે ચોરી થવાની ઘટના અંગે ગેસ ઍજન્સીના અંદરના ભાગે લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરટનઓની કરતુત કેદ થઈ ગઈ હતી. આ ચોરીની ઘટના અંગે મંદિર ના ટ્રસ્ટી પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે મંદિરના પુજારી વહેલી સવારે મંદિરે પુજા કરવા આવતા ચોરી થઇ હોવાનું જણાયું હતું. ચોરી ની ઘટના ની જાણ વલસાડ રૂરલ પોલીસને કરતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં પંકજ ભાનુશાલી, દિવ્યેશ પટેલ,હર્ષદ પટેલ, દિનેશ પટેલ,અમિત ગોગીવાલા, ધર્મેશ દોડીયા વિગેરે આજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા. જે અંગે વલસાડ રૂરલ પોલીસની ચોરટાઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.