(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૫ ઃ વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પર આવેલા ખાવા પીવાના સ્ટોલ પર આજરોજ રાજ્ય નિયુક્ત અધિકારી ફૂડ સેફટી ઓડિટર તથા અન્ય અધિકારીઓ સાથે ‘ઇટ રાઇટ ઓડિટ’ના પરિણામોનું સફળતાપૂર્વક નિરિક્ષણ કર્યું છે. આ ઓડિટ દરમિયાન સ્થાનિક ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, આરોગ્ય અને સલામતીના દૃષ્ટિકોણથી સમીક્ષા કરવામાં આવી હતી, જ્યાં ઉપસ્થિત રહેલા સ્ટોલ ગ્રાહકોને સૂચનો પણ કરવામાં આવ્યા હતા જેથી સ્થાનિક લોકોને સલામત અને આરોગ્યપ્રદ આહારની ખાતરી કરી શકાય. આ દરમ્યાન સત્યેન્દ્ર શર્મા સ્ટેશન અધિક્ષક વલસાડ, અજયપાલ ઉપસ્ટેશન અધિક્ષક વાણીજ્ય વલસાડ, મનોજ નારણીયા મુખ્ય સ્વાસ્થ્ય નિરીક્ષક વલસાડ, અનિલ બારૈયા મુખ્ય સ્વાસ્થ્ય નિરીક્ષક વલસાડ, રમેશ કુમાર સ્ટેશન અધિક્ષક વાપી રોહન ધામે, ઉપ સ્ટેશન અધિક્ષક વાણીજ્ય વાપી, નરેશ મહેરા મુખ્ય સ્વાસ્થ્ય નિરીક્ષક વાપી, જેમના નેતૃત્વ હેઠળ આ ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું.