Vishesh News »

દાનહ વિદ્યાર્થી મોરચા દ્વારા શિષ્યવૃત્તિ મુદ્દે ભૂખ હડતાળ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૫ ઃ દાદરા અને નગર હવેલીના વિદ્યાર્થી મોરચા દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અંગે ભૂખ હડતાળ કરવાની જાહેરાત કરી હતી. દાનહ વિદ્યાર્થી મોરચા દ્વારા ગત ૧૬ ફેબ્રુઆરીના રોજ છેલ્લા ૫ વર્ષથી વિદ્યાર્થીઓને શિષ્યવૃતી નહી મળેલ તે અંગે સેલવાસ કલેકટરને આવેદન આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી કલેકટર ઓફીસથી કે શિક્ષણ વિભાગ તરફથી કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી. તેમજ શાળાના વિદ્યાર્થીઓને ઘણા સમયથી ગણવેશ અને પુસ્તકો મળેલ નથી ઍની પણ માંગ કરવામાં આવી હતી. પરંતુ કલેકટર ઑફિસ અને શિક્ષણ વિભાગ તરફથી આજદીન સુધી કોઈ સંતોષ કારક જવાબ નહી મળતાં છેલ્લે હતાશ થઈને ૧૧ માર્ચ ૨૦૨૪ના રોજથી અમારી શિક્ષણ બાબતની માંગો લઈને ભુખ હળતાલ શરૂ કરવાની જાહેરાત કરી હતી.