(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) ધરમપુર,તા.૧૫ઃ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ૨૨ મી જાન્યુઆરીઍ આયોજિત આ ‘પ્રાણ-તિષ્ઠા મહોત્સવ’ માં જોડાવા આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી અને મિશનના વાઇસ પ્રેસિડેન્ટ આત્માર્પિત નેમિજીને, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિમંત્રિત કરવામાં આવ્યા છે. પૂ. ગુરૂદેવશ્રી ભારતભરના અગ્રણી સંતોની સાથે ઉપસ્થિતિ રહેશે. પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી શ્રી રામ મંદિરના ‘પ્રાણ-તિષ્ઠા મહોત્સવ’ માં સહભાગી બનવા તારીખ ૨૧મીઍ અયોધ્યા જવા પ્રસ્થાન કરશે. સંતોના આશીર્વાદ અને પાવન ઉપસ્થિતિ રાષ્ટ્રને ગૌરવવંત બનાવતાં આ પ્રસંગને દિવ્યતા બક્ષશે અને અવિસ્મરણીય બનાવશે.