Vishesh News »

વાપીમાં ત્રિદિવસીય આધ્યાત્મિક મેળો યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ ઃ આગામી તારીખ ૮ માર્ચ ૨૦૨૪ ને શુક્રવારના રોજ શિવ જયંતિ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો અનોખો સંગમ નિમિત્તે બ્રહ્માકુમારીઝ વાપી શાખા દ્વારા છરવાડા રોડના કોનર ઉપર ત્રણ દિવસીય આધ્યમિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વાપી અને તેની આજુબાજુના ગામડાઓ માં રહેતા લોકોને ભાગ લેવા જણાવ્યું છે આ આદ્યમિક મેળો તારીખ ૮ ૯ અને ૧૦ માર્ચના રોજ યોજાશે જે દરમિયાન મેળામાં મહિલા સશક્તિકરણ -દર્શન બાર જ્યોર્તિલિંગ દર્શન રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન પરમાત્મા શિવના સહસ્ત્ર દર્શન અને ભારતમાતા શક્તિ અવતારની ઝાંખી -દર્શન સાથે વ્યસનમુક્તિ માટે જ્ઞાન આપવામાં આવશે આ કાર્યક્રમ બાદ તારીખ ૧૧ થી ૧૭ સુધી વાપીના આનંદ નગરછરવાળા રોડ ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ ના સેવા કેન્દ્ર પર દિવસમાં ત્રણ ભેજમાં તળાવ મુક્તિ અંગેનો મેડીટેશન નો ટ્રેનિંગ ક્રોસ કરાવવામાં આવશે.