Vishesh News »

બીલીમોરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાં કેશ ઇન્ચાજને નિવૃત્તિ વિદાયમાન અપાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બલીમોરા, તા. ૦૩ : બીલીમોરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા નાં કેશ ઈન્ચાર્જ કૌશિકભાઈ ઍન. જોષી નો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં તેમની સેવાનિષ્ઠા ને વધાવી જુના સંસ્મરણો તાજા કરી નિવૃત્તિ જીવન ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બીલીમોરા ઍસબીઆઈ શાખા નાં કેશ ઇન્ચાર્જ કૌશિકભાઈ જોષી ૩૯ વર્ષ ની દીર્ઘકાલીન સેવા સાથે નિવૃત થયા હતા. જે પ્રસંગે બીલીમોરા શાખા નાં ચીફ મેનેજર મનોજકુમાર નાં અધ્યક્ષ સ્થાને સમારંભ યોજાયો હતો. જેમાં જાણીતા ઉદ્યોગપતિ જીતેન્દ્ર દેસાઈ, પેંશનર ઍસોસિઍશન નાં ડીજીઍસ રાજુ દેસાઈ (વલસાડ) સહિત મોટો ચાહકવર્ગ ઉપસ્થિત રહ્ના હતો. તેમણે દીર્ઘકાલીન સેવા સાથે કૌશિક ભાઈનાં મૃદુ મિલનસાર સ્વભાવ અને ગ્રાહકો સાથે આત્મીય સુમેળભર્યા સ્વભાવ, વહેવારને બિરદાવ્યા હતા. બેંક માં લોન, ડિપોઝીટ, મ્યુચ્યુઅલ ફંડ, ઍસબીઆઈ લાઈફ, ઍનપીઍ રિકવરી જેવી અનેક કામગીરીમાં તેમની ઓલરાઉન્ડર આગવી કુનેહ કાર્ય તત્પરતાં નાં સંસ્મરણો તાજા કરાયા હતા. આ પ્રસંગે દેવસર, ગણદેવી, અમલસાડ અને ચીખલી બ્રાન્ચ નાં કર્મચારીઓ, ગ્રાહક વર્ગ અને નિવૃત સહ કાર્યકરો તેમજ સ્નેહી સ્વજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્નાં હતાં. અને નિવૃત્તિમય જીવન નિરોગી રહે તે સાથે દીર્ઘાયુ જીવન ની શુભેચ્છા પાઠવી હતી. સમારંભ નું સંચાલન ખંડુભાઈ પટેલ અને ભરત શાહ ઍ કર્યું હતું.